Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

અમદાવાદના પરિવારને સતલાસણા નજીક અકસ્માત નડતા બે માસૂમે માતાની છત્રછાયા ગુમાવી

અમદાવાદ:રહેતો પરિવાર સતલાસણાના નવાવાસ (રાજપુર) દર્શન કરવા જતો હતો. ત્યારે વિસનગર પાસે કારનુ ટાયર ફાટતા કાર ઉંધી પડી હતી. જેમાં મહિલાનુ મોત થતા બે બાળકીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ અંગે ફરિયાદ થઈ છે.

અમદાવાદ રહેતા અને ખેરાલુ તાલુકાના ચોટીયા ગામના મૂળ વતની મહેન્દ્ર નાથાલાલ લીંબાચીયા તેમના પત્ની માધુરીબેન લીંબાચીયા તથા બે બાળકીઓ સાથે અમદાવાદથી અલ્ટોકારમાં સતલાસણા તાલુકાના નવાવાસ (રાજપુર)માં દર્શન કરવા નિકળ્યા હતા ત્યારે વિસનગર તાલુકાના કડા ગામથી વિસનગર તરફ આવતા બેસી ફાર્મ નજીક કારનુ ટાયર ફાટવાનો અવાજ આવ્યો હતો.
 જે અવાજથી આગળ બેઠેલ મહિલાએ ભારે બૂમ પાડતા કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ઉંધી પડી હતી. જેમાં કાર ચાલકને શરીરે બેઠો માર વાગ્યો હતો. જ્યારે મહિલાને માથામાં ગંભીર ઈજાઓ થતા વિસનગર મહેસાણા બાદ અમદાવાદ સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન માધુરીબેન લીંબાચીયાનુ મૃત્યુ થયું હતું. જે બનાવમાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે. બનાવમાં બે બાળકીઓએ માતાને ગુમાવી હતી.

(5:33 pm IST)