Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

અમદાવાદઃ બે ગમખ્વાર અકસ્માતમાં ચારનાં મૃત્યુ

બાવળા નજીક એસ.ટી. અને ટ્રક અથડાતા બે બાળકોના મૃત્યુઃ ગાંધીનગર નજીક કાર ઝાડ સાથે અથડાતા બે વિદ્યાર્થીનીના મૃત્યુ

અમદાવાદઃ સાણંંદ રોડ પર એસટી બસ અને ટ્રક વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાતા બે બાળકોના મોત નીપજયા હતા. જયારે ૩૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમા ત્રણ વ્યકિતઓ ગંભીર રીતે ઘાયલ થયેલ હતી.  તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.  એસટીની બસ રોડની બાજુમા આવેલી ખાડી મા પડી ગઇ હતી. અકસ્માતના પગલે રોડ પરથી પસાર થતા લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા પોલીસ અને બચાવ ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્કયુ કર્યુ હતુ.

ગાંધીનગર પાસેના કુડાસણ રોડ પર ભાઇજીપુરા ગામ પાસે વહેલી સવારે કારનું ટાયર ફાટતા કાર ઝાડ સાથે અથડાઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં રાધનપુરની ઉર્વશી પરમાર અને હિંમતનગરની રહેવાસી સમતા સુથાર નામની બે વિદ્યાર્થીની ના મોત થયા હતા. અન્ય ત્રણને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.

આ કારમાં ફિઝીયોથેરાપીના ત્રીજા વર્ષમાં ભણતા પાંચ વિદ્યાર્થીઓ સવાર હતા. અમદાવાદથી ગાંધીનગર ખાતે હોસ્ટેલ પરત ફરતી વખતે આ દુર્ઘટના સર્જાઇ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર પણ ઓળખી શકાતી ન હતી અને કાર છે કે ભંગાર છે તે સમજવુ મુશ્કેલ બની ગયુ હતુ. ઇન્ફોસીટી પોલીસે આ અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.

(2:32 pm IST)