Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

અમદાવાદમાં ખાળકૂવામાં ભેદી સંજોગોમાં બ્લાસ્ટ થતા બે મજૂરના કમકમાટીભર્યા મોતથી અરેરાટી

અમદાવાદ:ઇસનપુરથી નારોલ જવાના રોડ પર આવેલા સહયોગ એસ્ટેટ પાસે ખુલ્લી જગ્યામાં શૌચાલય બનાવવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ સમયે જૂના ખાળકૂવા પર ત્રિકમ મારતાની સાથે જ ભેદી બ્લાસ્ટ થયો હતો. આ ભેદી ધડાકાના કારણે કામ કરતા બે મજૂરના મોત થયા હતા. પ્રચંડ ધડાકાના કારણે મજૂરોના શરીરના ટુકડે ટુકડા થઇ ગયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડે ખોદકામ કરીને કાટમાળ નીચેથી શરીરના ટુકડા એકઠા કર્યા હતા. જો કે એફએસએલ અન ડોગ, બોમ્બ સ્ક્વોર્ડની મદદથી ધડાકાનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. નારોલ વિસ્તારમાં મોની હોટલ સામે આવલા સહયોગ એસ્ટેટ પાસેની ખુલ્લી જગ્યામાં શૌચાલય અને બાથરૃમ બનાવવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જ્યાં બપોરે ૧૨.૩૦ કલાકે ખોદકામ કરતી વખતે જૂના ખાળકુવા પર ત્રિકમ મારતાની સાથે જ બેદી ધડાકો થયો હતો. બ્લાસ્ટ થતાં સાથે જ ખોદકામ કરતા બે મજૂરોના મોત થયા હતા.

(5:26 pm IST)