Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

સુરતના સચિન-કનસાડ રોડ પર બ્રેઈન ટ્યુમરથી પીડાતા 8 વર્ષીય બાળકે ફાસો ખાધો

સુરત:સચીન-કનસાડ રોડ સ્થિત ઉમંગ એપાર્ટમેન્ટમાં આજે બપોરે માત્ર આઠ વર્ષીય બાળકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બ્રેઈન ટયુમરની બિમારીથી કંટાળી બાળકે આ પગલું ભરતાં સૌ કોઈ ચોંકી ઉઠયા હતા.

બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં સચીન કનસાડ રોડ રેલ્વે સ્ટેશન નજીક આવેલા ઉમંગ એપાર્ટમેન્ટ-એ બિલ્ડીંગના ફલેટ નં. એ-૪૦૧ માં રહેતા સંજયભાઈ પટેલ લુમ્સના કારખાનામાં નોકરી કરે છે.

તેમના બે પુત્રો પૈકી ધો.૨ માં અભ્યાસ કરતો પુત્ર અક્ષય (ઉ.વ.૮) ગઈકાલે  બપોરે એક વાગ્યે તેના રૃમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તેની માતાએ નીચે ઉતારી પતિ અને પોલીસને જાણ કરી હતી.

અક્ષયે ખુરશી ઉપર ચાર-પાંચ તકીયા-ગાદલા મૂકી પંખા સાથે નાયલોનની દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. છેલ્લા બે વર્ષથી બ્રેઈન ટયુમરથી પીડાતા અક્ષયે આ પગલું ભર્યુ હોવાનું પરિવારે પોલીસને જણાવતા સૌ કોઈ ચોંકી ઉઠયા હતા. ૮ વર્ષના બાળકના આપઘાતના બનાવ અંગે વધુ તપાસ પીએસઆઈ મૌર્યા કરી રહ્યા છે.

પોલીસે આ મામલામાં તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.બાળકના મૃતદેહનુ ફરી પેનલ પોર્સ્ટ મોર્ટમ કરાવવાનો પણ નિર્ણય લીધો છે.

(6:47 pm IST)