Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

નર્મદા જિલ્લામાં ગુરુવારે ૩૯ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૩૯૯૦ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૩૯ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા હરસિદ્ધિ નગર ૦૧, કાળિયાભૂત ૦૧ તથા નાદોદ તાલુકા માં પ્રતાપપરા ૦૧, આમલેથા ૦૨, વડીયા ૦૨, રાજપરા ૦૨, વરખડ ૦૧, સિસોદ્રા ૦૧, ઓરી ૦૧, ધારીખેડા ૦૧, અકુવાડા ૦૧, ઉમરવા ૦૧ તથા ગરુડેશ્વર તાલુકામાં ખડગદા ૦૫, કેવડિયા ૦૨, ગરુડેશ્વર ૦૧, કોઠી ૦૧, સાંડીયા ૦૧ તથા તિલકવાડા તાલુકામાં ચુડેશ્વર ૦૨, વાસણા ૦૧, સજ્જનપુર ૦૧, નમારીયા ૦૧, નરગામ ૦૧, તિલકવાડા ૦૧, ફેરકુવા ૦૨ તથા ડેડીયાપાડા તાલુકામાં મોજદા ૦૧ તથા સાગબારા તાલુકામાં સાગબરા  ૦૪ કેસ સાથે જિલ્લામાં કુલ ૩૯ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૫૧ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૬૬ દર્દી દાખલ છે.આજે ૦૧ દર્દીનું મૃત્યુ થયુ, આજે ૪૫ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૬૮૬ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૯૯૦ પર પહોચ્યો છે.આજે વધુ ૧૧૪૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(9:36 am IST)