Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

સુરતઃ અમરોલીમાં નજીવી બાબતે યુવકના માથામાં પતરું મારી ઘાતકી હુમલો

સુરતઃ અમરોલી ભરથાણા ગામમાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં યુવકને માથામાં પતરૂ મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

ભરથાણા ગામ રામનગર સોસાયટી ખાતે રહેતો દિનેશ કાળુભાઈ કસવા(25) ટેમ્પો ચલાવી ગુજરાન ચલાવતો હતો. રવિવારે રાત્રે તે ઘર નજીક એક મકાનના ઓટલા પર બેઠો હતો. જે બાબતે સોસાયટીમાં જ રહેતા અન્ય રહીશ સાથે માથાકુટ થઈ હતી. નજીવી બાબતમાં થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સોસાયટીનો રહીશ અને તેના પરિવારના સભ્યો દિનેશ પર તુટી પડ્યા હતા

(5:34 pm IST)