Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

નરેન્દ્રભાઇ અને હરિભાઇ રાજીનામું આપેઃ પરેશ ધાનાણી

સિદ્ધાંતની વાતો જ છેઃ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર પણ આપણે જ કરીએ છીએઃ કયાંનો ન્યાયઃ વિપક્ષી નેતાની ધણેણાટી

 ગાંધીનગર તા.૨૦: આજે બપોરે ર વાગ્યે વિધાનસભા વિરોધપક્ષના નેતાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવેલ કે ભારત સરકારના પૂર્વગૃહ રાજયમંત્રી અને હાલના રાજય કક્ષાના મંત્રી અને બનાસકાંઠાના લોકસભાના સાંસદ હરિભાઇ ચૌધરી સામે સીબીઆઇ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો સંદર્ભે બાબત જાહેર કરતા વિરોધ પક્ષના નેતાશ્રી પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું કે વડાપ્રધાન અને આ રાજય મંત્રીએ તાત્કાલીક રાજીનામું આપવું જોઇએ તો જ લોકશાહીની પરંપરા જળવાઇ રહેશે.

એક બાજુ સિદ્ધાંતોની વાતો કરીએ છીએ અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર પણ આપણે જ કરીએ છીએ. આ કયાંનો ન્યાય છે?

(3:50 pm IST)