Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ગાંધીનગર સે-8માં સર્વન્ટ ક્વાટર્સમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગાંધીનગર: શહેરના સે-૮માં આવેલા ભાજપના નેતા આઈ.કે.જાડેજાના બંગલાના સર્વન્ટ કવાર્ટસમાં રહેતી ર૩ વર્ષીય પરીણીતાએ ગઈકાલે રાત્રે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે સે-૭ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી હતી. પ્રાથમિક તપાસમાં સાસરીમાંથી કાઢી મુકતાં પરિણીતાએ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સે-૮માં પ્લોટ નં.૭૨૪/૧/એ માં ભાજપના નેતા આઈ.કે.જાડેજાનો  બંગલો આવેલો છે જેમાં સર્વન્ટ કવાર્ટસ બનાવાયું છે. આ કવાર્ટસમાં તેમના ઘરે કામ કરતો પરિવાર રહે છે. આ પરિવારની ર૩ વર્ષીય દીકરી સેજલ રાયમલભાઈ દેસાઈને અમદાવાદ ખાતે પરણાવી હતી અને તેના સાસરીયાઓએ તેને કાઢી મુકતાં માતા અને ભાઈ સાથે આ કવાર્ટસમાં રહેતી હતી. દરમ્યાનમાં ગઈકાલે રાત્રે કોઈપણ સમયે સેજલે પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો.
 

(6:41 pm IST)