Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

અમદાવાદના મિરઝાપુરમાં પૈસાની લેતીદેતી મામલે એકજ કોમના બે જૂથ વચ્ચે અથડામણ

અમદાવાદ: મિરઝાપુરમાં સોમવારે મધરાતે ત્રણ ખુણીયા બગીચા પાસે રૃપિયાની લેતી-દેતીમાં એક કોમના બે જુથ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો થયો હતો. શાહપુર પોલીસે બન્ને પક્ષે સામ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રૃા. ૧૪ લાખની લેવડ દેવડ બાબતે પ્રથમ શાહપુરમાં વડ પાસે એક ુયુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મિરઝાપુર ત્રણ ખુણીયા બગીચા પાસે જુથ અથડામણ બાદ પથ્થરમારો થયો હતો. શાહપુર થયેલા હુમલામાં બે યુવકોને ઇજા થઇ હતી. આ કેસની વિગત એવી છે કે મિરઝાપુર ત્રણ ખુણીયા બગીચા પાસે માતૃછાયા બિલ્ડીંગમાં રહેતા અને આવકાર ઓટો મોબાઇલના નામે કારની લે-વેચનો ધંધો કરતા મોહંમદ ફિરદોશ ઉર્ફે અલ્લુ ઇસ્માઇલ ઉર્ફે બસ્તી ગફુરભાઇ ખિલજીએ શાહપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે, કે સોમવારે રાત્રે ૧૨.૧૫ વાગે ફરિયાદી અને તેમના મિત્ર જાકીર, અરબાઝ અને સલીમ શાહપુર વડ ખાતે બેઠા હતા આ સમયે માજીદ ઠાકુર આવ્યો હતો તેની પાસે અમોએ ઉઘરાણીના રૃા. ૧૪ લાખની માંગણી કરી હતી. 

(6:39 pm IST)