Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

વડોદરાના સયાજીબાગમાં જોય ટ્રેનનું એન્જીન ટ્રેક પરથી ઉતરી જતા પર્યટકોના જીવ અધ્ધરતાલ

વડોદરા - સયાજીબાગમાં ચાલતી જોય ટ્રેન સાંજે ટ્રેક પરથી ઉથલી પડતા બેઠેલા પર્યટકોના જીવ અધ્ધર થઇ ગયા હતા  સયાજીબાગમાં ટોય ટ્રેન ચાલતી હતી તે બંધ કરી જોય ટ્રેન શરુ કરવામાં આવી હતી  આ જોય ટ્રેન અગાઉ પણ ચારથી પાંચ વાર ટ્રેક પરતી ઉતરી પડયાના કિસ્સા બન્યા હતા જેમાં પર્યટકોને ઇજા પણ થઇ હતી

 . આ જોય ટ્રેનનો કોન્ટ્રાકટ અમદાવાદની ખોડલ એન્જીનીયરીંગના નામની કંપનીએ લીધો છે અને હવે બુલેટ ટ્રેન પણ દોડાવવાનું નકકી કર્યુ છે તેવા સમય સાંજે જોય ટ્રેનનું એન્જીન પાટા પરથી ઉતરી પડયુ હતુ જેથી અંદર બેઠેલા પર્યટકો ગભરાટના માર્યા નીચે ઉતરી ગયા હતા . ટ્રેક પર પથ્થર આવી ગયો હોવાથી એન્જીન ઉતરી પડયુ હોવાનું બહાર આવ્યુ હતુ

(1:35 pm IST)