Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

સોનગઢના ભટવાડામાં પતિ-પત્નીના ઝઘડાએ 6 વર્ષીય બાળકનો ભોગ લીધો: નરાધમ પિતાએ કરપીણ હત્યા કરતા અરેરાટી

સોનગઢ :તાલુકાનાં ભટવાડા ગામે રહેતા શખ્સે પત્નિ સાથે ઝઘડો થતાં ૬ વર્ષનાં  બાળકને શાળાએથી લઈ જઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આરોપી પિતાની અટક કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

સોનગઢ તાલુકાનાં ભટવાડા ગામે રહેતા અને મજૂરી કામ કરતા અરૂણ રામજીભાઈ વસાવા (ઉ.વ.ર૯) પત્ની શીલા તથા પુત્ર અહેમ (ઉ.વ.૬) સાથે રહેતા હતા. લગ્ન બાદ અરૂણ પત્ની શીલાને તેના પરિવારનાં મદદ માટે તથા ઘરે માટે એક પણ વાર રૂપિયાની મદદ કરી ન હતી. શીલાનાં પિતાનાં ઘરનું કામ ચાલતું હોવાથી તે ણીએ પિતાને મદદ કરવા અરૂણ વસાવા પાસે રૂપિયા માંગ્યા હતા.

(5:47 pm IST)