Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

વડોદરામાં તસ્કરોનો તરખાટ: જુદા-જુદા બે વિસ્તારમાંથી દાગીનાની ઉઠાંતરી કરી છુમંતર

વડોદરા:શહેરમાં જુદાજુદા બે સ્થળોએ ત્રાટકેલા તસ્કરો સોના-ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી ગયા હતા.

અકોટા ગાર્ડન નજીક કૈલાશ પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષક કલાબેન જોષીપુરા ગઈકાલે ગોવાથી પરત ફર્યા ત્યારે તેમના મકાનના દરવાજાનો નકુચો અને સ્ટોપર તૂટેલા હતા તેમજ કબાટનો સામાન વેરવિખેર પડેલો હતો.

તપાસ કરતા તસ્કરો ત્રણ તોલા અને અઢી તોલાની 2 ચેઈન અને એક તોલાની લગડી મળી રૂપિયા દોઢ લાખ ઉપરાંતની કિંમતના દાગીના ઉઠાવી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

(5:41 pm IST)