Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

અગમ્ય કારણોસર સાબરમતીમાં માતાએ અઢી વર્ષીય બાળકી સાથે મોતની છલાંગ લગાવી

અમદાવાદ:ના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા નારાયણ ઘાટના વોક વે પરથી માતાએ પોતાની અઢી વર્ષની પુત્રી સાથે નદીમાં ઝંપલાવ્યુ હતું. ફાયરની રેસ્ક્યુ ટીમે માતા અને પુત્રીને જીવિત હાલતમાં બહાર કાઢી પોલીસને સોંપ્યા હતા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, માતાએ પરિવારજના ત્રાસથી કંટાળીને પગલુ ભર્યું હતું. પરિવારથી કંટાળીને મહિલા પોતાની અઢી વર્ષની બાળકીને આજે સવારે રિવર ફ્રન્ટ પર લઈ આવી હતી. જેના બાદ તેણે દીકરી સાથે નારાયણ ઘાટના વોકવે પરથી સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. બનાવ બનતા રિવરફ્રન્ટ પરની રેસ્ક્યુ ટીમ દોડતી થઈ હતી, અને ગણતરીના કલાકોમાં માતા અને બાળકીને બહાર કાઢી લેવાયા હતા. જોકે, બંનેને જીવિત હાલમાં નદીમાંથી બહાર કઢાયા હતા અને બાદમાં વીએસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ પોલીસ પણ માતાનું નિવેદન લઈ રહી છે કે, આખરે કયા કારણોસર મહિલાએ પગલુ ભર્યું હતું, જેમાં તેણે પોતાની અઢી વર્ષની બાળકીનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો.

(6:12 pm IST)