Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

અમદાવાદમાં ઈજાગ્રસ્ત હોવા છતાં પોલીસકર્મીઓએ ફરજ બજાવી : એએસપી સહીત 20થી વધુ પોલીસકર્મી ઘાયલ

અમદાવાદમાં શાહ આલમમાં મોઢે રૂમાલ બાંધીને તોફાનીઓએ પોલીસ જવાનોને ટાર્ગેટ કર્યા હતા. આ પથ્થરમારામાં એક મહિલા પોલીસ કર્મી પણ ઘવાયા હતા. જ્યારે અન્ય એક પોલીસ જવાનનું માથું ફાટી ગયું હતું. એસપી આરબી રાણા આ પથ્થરમારામાં ઘાયલ થયા છે. પોલીસ હાલમાં ફ્લેગમાર્ચ કરી રહી છે. પોલીસે હાલમાં માહોલ કાબૂમાં હોવાનું જણાવ્યું છે.

  પથ્થરમારામાં માથેથી લોહી નીતરતું હોવા છતાં પોલીસ કર્મીઓ પોતાની ફરજ ભૂલ્યા ન હતા. જેઓએ માથે રૂમાલ બાંધીને પણ આ ઘટનાસ્થળ છોડ્યું ન હતું.

(9:48 pm IST)