Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

વડોદરામાં રક્ષાબંધન કરવા ગયેલ પરિણીતાના ઘરને નિશાન બનાવી તસ્કરોએ દાગીનાની ઉઠાંતરી કરી

વડોદરા:રક્ષાબંધન કરવા માટે વતનમાં ગયેલા પરિવારના બંધ મકાનમાંથી તસ્કરો દોઢ લાખની મત્તા ચોરી ગયા હતા. જ્યારે સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ પાસેની સોસાયટીના બંધ મકાનમાંથી તસ્કરો ધોળેદહાડે ચોરી કરી ગયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, ડભોઇરોડ રૃબિપાર્ક સોસાયટીમાં રહેતા સંજયભાઇ રાઠવા રીક્ષા ડ્રાઇવીંગ કરે છે. રક્ષાબંધનનો તહેવાર હોઇ તેઓ મકાનને તાળુ મારી વતન ક્વાંટ ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનના દરવાજાનો નકુચો તોડીને તસ્કરો ૪૭ હજાર રોકડા, ૮ હજાર રૃપિયાનું પરચૂરણ અને સોના-ચાંદીના દાગીના મળીને કુલ ૧.૪૭ લાખ રૃપિયાની મત્તા ચોરી ગયા હતા. જે અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:43 pm IST)