Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

તમે લોકો ન્યાય નહીં કરો પણ જનતા ન્યાય કરશે: નવજોતસિંહ સિદ્ધુ પર નરેશ કનોડિયાના ચાબખા

ભાજપના નેતા નરેશ કનોડીયાએ કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધૂ પર કટાક્ષ કર્યો છે. નરેશ કનોડીયાએ કહ્યું કે, નવજોતસિંહ સિદ્ધૂ માત્ર કોમેડી કરે છે. તેઓ શોની જેમ શેરો શાયરી અને કોમેડી કરે છે. આપણે એક કલાકાર છીએ અને કલાકારને આવા પ્રકારના નિવેદનો શોભે નહીં.

    નરેશ કનોડીયાએ વધુમાં કહ્યું કે, નવજોતસિંહ સિદ્ધૂ ભારત દેશનું ખાઈને બીજા દેશના ગુણગાન ગાય છે. સિદ્ધૂ પીએમ મોદીને ચોર કહે છે. ચૂંટણીના પરિણામમાં ખબર પડશે કે ચોર કોણ છે અને ઘંટી ચોર કોણ છે. તમે લોકો ન્યાય નહીં કરો પણ જનતા ન્યાય કરશે. ચૂંટણીમાં જનતા પોતાનો વોટ આપીને ન્યાય કરશે

(11:44 am IST)