Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

યાત્રાધામ અંબાજી મંદિર પરિસરના ગેટ નં,7,8 અને 9 બંધ કરાયા : શ્રદ્ધાળુઓને શક્તિદ્વારથી જ પ્રવેશ: સઘન ચકાસણી

હાથ ધોઈ,રૂમાલથી મોઢું ઢાંકીને દર્શન કરે તેવી વ્યવસ્થા : પ્રવેશ દ્વારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત

અંબાજી : શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે જણાવ્યું છે કે, 'અંબાજી માતા મંદિરના પરિસરના ગેટ નંબર ૭,૮, ૯ બંધ કરાયા છે. તમામ દર્શનાર્થીઓ માત્ર મુખ્ય પ્રવેશ દ્વાર 'શક્તિ દ્વાર'થી જ પ્રવેશે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે.

  યાત્રાળુઓ માટે શક્તિ દ્વારથી પ્રવેશ મેળવી પોતાના હાથ ડેટોલ સાબુથી ધોઇ, રૃમાલથી મોઢું ઢાંકી દર્શન કરવા આવે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. યાત્રાળુઓ મંદિરમાં પ્રવેશે તે અગાઉ તેમના શરીરનું તાપમાન ચકાસવામાં આવી રહી છે

   મંદિર પ્રવેશ દ્વાર પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બે શિફ્ટમાં શરૃ કરાયું છે. મંદિરના તમામ સુરક્ષા જવાનોને માસ્ક અપાયા છે. આ ઉપરાંત અંબાજી જનરલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ કાર્યરત્ કરાયો છે.

(11:26 am IST)