Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ભાજપમાં ખુલી બગાવત : ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારે કહ્યું-કોઈપણ સરકારી કાર્યક્રમમાં ભાગ નહીં લ્યે

મંત્રીમંડળમાં સ્થાન નહીં મળતા નારાજ : આગામી સમય માં નવાજુની થવાના એધાણ

અમદાવાદ : ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો સુરતથી ઉદય થઈ ચૂકયો છે અને કોંગ્રેસ લગભગ નિષ્ક્રિય છે ત્યારે ભાજપ અને આમ આદમી વચ્ચે મુખ્ય ટક્કર જોવાઇ રહી હતી ત્યાંજ ભાજપ માં મુખ્યમંત્રી અને આખું મંત્રી મંડળ વીખી નાખવા ની બાબત હવે ભાજપ ને ભારે પડી શકે તેવી સ્થિતી જોવા મળી રહી છે.

નવા મંત્રીમંડળમાં સમાવેશ ન થતા અનેક નેતાઓ નારાજ થઈ ગયા છે જેઓમાં હવે ઇલેકશન માં ખાસ રસ ન લે તેવું બની શકે આવાજ સમયે ઉમરેઠ ભાજપના MLA ગોવિંદ પરમાર હવે ખૂલીને નારાજ થયા હોવાની વાત સામે આવી છે.

એક ટીવી ચેનલ સાથે ની વાતચીતમાં માં ગોવિંદ પરમારે આ ધડાકો કરતા ઉમેર્યુ છે કે તેઓ હવે થી ભાજપના કોઈપણ કાર્યક્રમોમાં ભાગ નહીં લે તે પછી ભલે ને સરકારી કાર્યક્રમો હોય કે પછી મુખ્યમંત્રીના કોઈ કાર્યક્રમ હોય તેમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરતા હવે ભાજપ ના નારાજ નેતાઓની મનોવ્યથા બહાર આવી રહી છે તેવે સમયે આગામી સમય માં નવાજુની થવાના એધાણ વર્તાઈ રહયા છે

(11:55 pm IST)