Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

વડોદરાના વેપારીને મુંબઈ જવું ભારે પડ્યું: બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 2.66 લાખની મતાની ઉઠાંતરી કરી

વડોદરા: શહેરના પાણીગેટ આયુર્વેદિક કોલેજ પાસે હીના કોમ્પલેક્ષના બંધ ફલેટમાંથી ચોર ૨.૬૬ લાખ રૃપિયાની મત્તા ચોરી ગયા છે. જે અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. 

આ અંગેની વિગત એવી છે કે, પાણીગેટ આયુર્વેદિક કોલેજ પાસે હીના કોમ્પલેક્ષમાં છેલ્લા એક મહિનાથી ભાડાના મકાનમાં રહેતા અઝીઝ કાસીમભાઇ ચારણીવાલાની તાંદલજા માહી કોમ્પલેક્ષમાં વાય.એમ. હાર્ડવેર નામની દુકાન છે. ગત ૧૪મી સપ્ટેમ્બરે અઝીઝ ચારણીવાલા મકાનને તાળુ મારીને મુંબઇ રહેતા મોટાભાઇના ઘરે ગયા હતા.

(5:22 pm IST)