Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

અમદાવાદમાં સાબરમતીમાં ગણેશ વિસર્જન માટે ગયેલા પાંચ યુવાનો ડૂબ્યા :એકને બચાવ્યો :ચાર ની શોધખોળ

અેકાઅેક યુવાનો ડૂબતાં લોકોઅે બુમાબુમ કરી: તરવૈયાઅોઅે ડૂબેલા યુવાનોને બચાવવા માટે ડૂબકીઅો લગાવી

 

અમદાવાદમાં સાબરમતીમાં ગણેશ ભગવાનની પ્રતિમાઅોનું વિસર્જન થાય છે. અાજે સાંજે વસ્ત્રાલ વિસ્તારમાંથી સાબરમતીમાં ગણપતિ વિસર્જન માટે ગયેલા 5 યુવાનો નદીમાં ડૂબ્યા છે. જેમાંથી અેકને બચાવી લેવાયો છે. જ્યારે 4 યુવાનોની નદીમાં શોધખોળ હાથ ધરાઈ રહી છે

  અેક સાથે પાંચ યુવાનો ડૂબતાં અફડાતફડી મચી ગઈ છે.અેકાઅેક યુવાનો ડૂબતાં લોકોઅે બુમાબુમ કરી દીધી હતી. હાલમાં 4 યુવાનોની શોધખોળ ચાલી રહી છે. તંત્ર દ્વારા દર વર્ષે ગણપતિની મૂર્તિ પધરાવા માટે વ્યવસ્થા કરાય છે. અામ છતાં લોકો સાબરમતીમાં મૂર્તિ પધરાવતા હોય છે. તંત્રમાં અા અંગેની જાણ થતાં દોડધામ મચી ગઈ હતી

  યુવાનો અંગે કોઇ અાધારભૂત માહિતી પ્રાપ્ત થઈ નથી. તરવૈયાઅોઅે ડૂબેલા યુવાનોને બચાવવા માટે ડૂબકીઅો લગાવી છે. અેકનો અાબાદ બચાવ થયો છે. લોકોનાં ઘટનાસ્થળે ટોળાં જામ્યાં છે.

(9:23 pm IST)