Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

આણંદ: નાપાડમાં નજીવી બાબતે થયેલ બબાલમાં બેને ઇજા

આણંદ:તાલુકાના નાપાડ ગામે આવેલી દામપુરા સીમમાં ગોરસઆંબલીના ડાળખા તેમજ લાકડા કાપીને લઈ જવાની બાબતે તકરાર થતાં બેને ઈજાઓ થવા પામી હતી. આ અંગે આણંદ રૂરલ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ઘરી છે. 
જયાબેન મફતભાઈ તળપદાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આજે સવારના ૧૧ વાગ્યાના સુમારે મનુભાઈ મુળજીભાઈ પટેલે ગમ ેતેવી ગાળો બોલીને તમો અમારી વાડની ગોરસઆંબલીના ડાળા તેમજ લાકડા કેમ લઈ જાઓ છો તેમ જણાવીને પોતાના પાસેનો લાકડાનો ડંડો કોણી ઉપર મારી દેતાં ઈજાઓ થવા પામી હતી. 
જ્યારે સામા પક્ષે મનુભાઈ મુલજીભાઈ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગોરસઆંબલીના ડાળખા કાપી જવાનો ઠપકો આપતાં કમળાબેન શનાભાઈ તળપદા તથા જયાબેન મફતભાઈ તળપદાએ તકરાર કરીને કમળાબેને લાકડાનો ડંડો ખભા ઉપર મારી દીધો હતો જ્યારે જયાબેને ઈંટનું અડધીયું કપાળમાં મારીને લોહીલુહાણ કરી દીધા હતા.

(5:05 pm IST)