Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો :નવા 147 કેસ નોંધાયા:વધુ 169 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી : મૃત્યુઆંક 11.027 થયો :કુલ 12.60.886 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 1.30 .899 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 1210 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 147 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 169 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,60.886 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,027 છે,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.04 છે

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 1.30.899 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,56.66.404 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 1210 એક્ટિવ કેસ છે. જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1205 દર્દીઓ સ્ટેબલ છે.  .

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 147 કેસમાં સુરત કોર્પોરેશનમાં 46 કેસ, અમદાવાદ કોર્પોરેશનમાં 32 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 16 કેસ,બનાસકાંઠામાં 10 કેસ, નવસારીમાં 6 કેસ, વડોદરા અને વલસાડમાં 5-5 કેસ, મહેસાણા,રાજકોટ કોર્પોરેશન અને સાબરકાંઠામાં 4-4 કેસ, ભરૂચ, ગાંધીનગર, કચ્છ અને સુરતમાં 2-2 કેસ, જામનગર, જામનગર કોર્પોરેશન,ખેડા, પંચમહાલ,પોરબંદર, રાજકોટ,અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે 

(7:35 pm IST)