Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

સુરતના નાનપુરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 6વર્ષીય માસુમ પુત્રી સાથે સાવકી માતાના સંબંધીએ દુષ્કર્મ આચરતા અરેરાટી મચી જવા પામી

સુરત: સુરતના નાનપુરા વિસ્તારમાં ભાડેથી રહેતા દોહાદના શ્રમજીવી પરિવારની 6 વર્ષની માસુમ પુત્રી સાથે સાવકી માતાના દૂરના સંબંધી એવા મામાએ મધરાતે દુષ્કર્મ કર્યા બાદ ભાગી ગયો હતો. જો કે મામલો પોલીસમાં પહોંચતા હવસખોર મામાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ દાહોદના શ્રમજીવી મનિષ (ઉ. વ. 28 નામ બદલ્યું છે) હાલમાં સુરતના નાનપુરા વિસ્તારમાં પત્ની અને ત્રણ પુત્રી સાથે રહે છે. છૂટક મજૂરી કામ કરતા મનિષના ઘરે બે દિવસ અગાઉ પત્ની વનિતા (નામ બદલ્યું છે) ના દૂરનો સંબંધી લાલસીંગ સમુડાભાઈ ખંડીયા (રહે. નોડી ફળીયુ, આકલીયા, દાહોદ) ઘરે આવ્યો હતો. મહેમાન તરીકે આવેલો લાલસીંગ જમ્યા બાદ ત્યાં જ રોકાયો હતો અને રાતે મનિષની 6 વર્ષની પુત્રી ગીતા (નામ બદલ્યું છે) સાથે એક જ પલંગ પર સૂઇ ગયો હતો. દરમિયાનમાં 12 વાગ્યાના અરસામાં ગીતાએ અચાનક પપ્પા એમ કહીને બુમ પાડતા પલંગ નજીક સૂતેલો મનિષ જાગી ગયો હતો. મનિષે તુરંત જ રૂમની લાઇટ ચાલુ કરતા ગીતાના આંતરવસ્ત્ર ઉતરેલા હતા અને લાલસીગનું પેન્ટ પણ ઉતરેલું હોવાથી મનિષે તું શું કરે છે એમ કહી લાલસીંગને ઠપકો આપ્યો હતો. જયારે ગીતા રડતા રડતા પિતાને ભેટી પડી હતી અને લાલસીંગ મારી ભુલ થઇ ગઇ છે એમ કહી ત્યાંથી ભાગી ગયો હતો. મનિષે ગીતા સાથે બાઇક પર લાલસીંગના રહેણાંક અઠવા ગેટ બ્રિજ નીચે શોધવા ગયો હતો. પરંતુ લાલસીંગ ભાગી ગયો હતો

(6:22 pm IST)