Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

રાજપૂતોના અધિકાર માટે અવાજ ઉઠાવતી કરણીસેના : ટીકીટ માટે અપીલ

(કેતન ખત્રી) અમદાવાદ,તા. ૧૬ : રાજપૂત કરણી સેના ના રાષ્ટ્રીય અધ્‍યક્ષ મહિપાલ સિંહ મકરાણા એ અમદાવાદ ખાતે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી ને પ્રેસના માધ્‍યમથી આવનારી વિધાનસભા ચૂંટણી પહેલાં સમાજ ને દરેક પક્ષ  સંતોષકારક પ્રતિનિધિત્‍વ આપે તેવી માંગણી કરી હતી. સાથે સાથે મહિપાલ સિંહે જણાવ્‍યું હતું કે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્‍યુઝિયમ બનાવવાની જાહેરાત માનનીય વડાપ્રધાનશ્રીએ આશરે ત્રણ વર્ષ પહેલાં કરી હતી તે માંગને પૂરી કરવા અને તે મ્‍યુઝિયમ ક્ષત્રિય સમાજના પ્રતિનિધિઓની એક કમિટી જેમાં ઈતિહાસ વિદો પણ હોય સામાજિક તટસ્‍થ આગેવાનો તેમજ રજવાડાઓના પ્રતિનિધિઓનો સમાવેશ કરવા પણ સુચન કરેલ છે. ક્ષત્રિય સમાજ ની માંગ આગામી ચૂંટણી પહેલાં સ્‍વીકારાય તેવો હુંકાર કરેલ.

રાજપૂત સમાજના ભાઈઓને પૂરતું પ્રતિનિધિત્‍વ મળે અને બીજા પક્ષોએ ટિકિટોની જાહેરાત પણ કરવાનું ચાલુ કરી દીધું છે તે પક્ષના મવડીઓ પાસે પણ માંગ કરી છે કે રાજપૂત સમાજને પૂરતું પ્રતિનિધિત્‍વ આપે અને રાજપૂત સમાજના ભાઈઓને પક્ષ ટિકિટ આપે અને ઉમેદવાર તરીકે જાહેર કરે. તેમ અંતમાં મહિપાલસિંહે જણાવ્‍યું હતું. 

(4:41 pm IST)