Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

અમદાવાદમાં બે દિવસીય વિશ્વકર્મા એકતા રથયાત્રા

કાલે વિશ્વકર્મા પૂજન દિવસ

અમદાવાદ,તા.૧૬: વિશ્વકર્મા જનસહાયક ચેરીટેબલ ફાઉન્‍ડેશન ગુજરાત દ્વારા વિશ્વકર્મા પૂજન દિવસ અનુસંધાને તા.૧૭ અને ૧૮ (શનિ-રવિ) અમદાવાદમાં  વિશ્વકર્મા એકતા રથયાત્રાનુૅ આયોજન કરાયુ છે. ટ્રસ્‍ટી રાકેશ વિશ્વકર્મા મુજબ કાલે એકતા રથયાત્રાનું આયોજન કરાયુ છે. ટ્રસ્‍ટી રાકેશ વિશ્વકર્મા મુજબ કાલે તા. ૧૭ના રોજ અમદાવાદ પમિમા ચાંદલોડીયા સ્‍થિત વિશ્વકર્મા વાડી પહોંચશે.

રાત્રી વિશ્રામ બાદ રવિવારે નરોડા સ્‍થિત વિશ્વકર્મા ચોકથી વષાાળ આરટીઓ પાસેના વિશ્વકર્મા મંદિર સુધી રથયાત્રા કાઢવામાં આવશે. જેમાં ખુલી જીપમાં રથ ઉપર ભગવાન વિશ્વકર્માનું ચિત્ર, હાથી, ઘોડા, ડીજે, બગી, ટ્રેકટર ઉપર ઝાંખીઓ, નાસીક ઢોલ, નગારાની ટીમ અને બાઇક તથા કારોમાં લોકો સંગઠનો સામેલ થશે.

(4:14 pm IST)