Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

કાલે નરેન્‍દ્રભાઇના જન્‍મદિને હાર્દિક પટેલ દ્વારા રામપુરામાં નેત્રયજ્ઞ-નિઃશુલ્‍ક ચશ્‍મા વિતરણ

રાજકોટ તા. ૧૬ : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મ દિવસ નિમિતે કાલે ભાજપના યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા સ્‍વસ્‍થ ગામ, સ્‍વસ્‍થ ગુજરાત, સ્‍વસ્‍થ ભારત અંતર્ગત નિઃશુલ્‍ક આંખની તપાસ અને ચશ્‍મા વિતરણ શિબીર યોજાશે.

કાલે તા.૧૭ ને શનીવારે સવારે ૯ વાગ્‍યે શાહ એચ.એમ. સર્વોદય વિદ્યાલય ખાતે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિવસ નિમિતે યુવા નેતા હાર્દિક પટેલના માધ્‍યમથી આ સેવા કાર્યનું આયોજન કરાયુ છે.

આ કેમ્‍પમાં તમામ લાભાર્થીઓની આંખની તપાસ અને દ્રષ્‍ટિ પરીક્ષણ કરવામાં આવશે. ચશ્‍મા વિનામુલ્‍યે પુરા પાડવામાં આવશે. આંખના ગંભીર રોગોની રોકથામ અંગે શિક્ષિત કરવામાં આવશે.

આ સેવાકાર્ય યુવા નેતા હાર્દિક પટેલ તથા ભારતીય જનતા પાર્ટી દેત્રોજ (મહેન્‍દ્રસિંહ સોલંકી, નરેન્‍દ્ર પટેલ પરબતજી ઠાકોર) એપીએમસી દેત્રોજ (યોગેશ પટેલ) તાલુકા પંચાયત દેત્રોજ (બટુકસિંહ સોલંકી) જન સેવાશ્રમ ટ્રસ્‍ટ દ્વારા થશે. લાભાર્થીઓ માટે ભોજન વ્‍યવસ્‍થા રાખેલ છે.

દેત્રોજ અને રામપુરા પંથકના લોકોને શિબીરનો લાભ લેવા ભાજપના યુવા નેતા હાર્દિક પટેલે અપીલ કરી છે.

(4:03 pm IST)