Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

વધુ ૧૩ પીઆઇની બદલીઃ એસીબીના એમ. એમ. સરવૈયાને રાજકોટ સીટીમાં મુકવામાં આવ્‍યા

અમરેલીના પી.સી. દેસાઇને અમદાવાદ, જામનગરના એસ. એસ. ચોૈધરીને પાટણ, દાહોદના એ. એમ. હેરમાને રાજકોટ ગ્રામ્‍યમાં મુકાયા

રાજકોટ તા. ૧૬: પરમ દિવસે રાજ્‍યના ૧૧૩ બિન હથીયારી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરની બદલીનો ઘાણવો નીકળ્‍યા પછી વધુ ૧૩ પીઆઇની બદલી થઇ છે. જેમાં એસીબીના એમ. એમ. સરવૈયાને રાજકોટ શહેરમાં અને દાહોદના એ. એમ. હેરમાને રાજકોટ ગ્રામ્‍યમાં મુકવામાં આવ્‍યા છે

આ ઉપરાંત અમરેલીના પી. સી. દેસાઇને અમદાવાદ શહેર, સીઆઇડી ક્રાઇમના શ્રીમતી ટી. એસ. રિઝવી તથા કે. ડી. બ્રહ્મભટ્ટને આણંદ, જામનગરના એસ. એસ. ચોૈધરીને પાટણ, પાટણના જી. આર. રબારીને બનાસકાંઠા, સીઆઇડી ક્રાઇમના જે. બી. કરમુરને વડોદરા ગ્રામ્‍ય તથા બી. એમ. ચોૈધરીને નવસારી, ગાંધીનગર વિભાગના એમ. જે. ચોૈધરીને અરવલ્લી,  દેવભુમિ દ્વારકાના એચ. એ. જાડેજાને મોરબી, સીડીઓના બી. બી. કરપડાને સુરત શહેર અને સીઆઇડી ક્રાઇમના પી. કે. ગોહિલને અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્‍યા છે.

(1:51 pm IST)