Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

વાઘોડિયા ગામની પરિણીતાને સંતાન સુખ પ્રાપ્ત નહિ થતા પતિના અસહ્ય ત્રાસે ઝેરી દવા પી આપઘાત કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘોડિયા ગામની પરણિતા એ સંતાન સુખ નહિ થતા આપઘાત કર્યો હોય પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર શાંતિલાલ માધુભાઈ વસાવા (રહે. જીતનગર )નાઓની ફરિયાદ મુજબ તેમની દીકરી સુનિલા બેન એ નવીનભાઈ અશ્વિનભાઈ વસાવા(રહે.વાઘોડીયા) નાઓ પતિ થાય છે મરનાર સુનીલાંબેન ને છોકરા થતા ન હોય જેના કારણે પતિ નવીનભાઈ પત્ની સાથે અવાર નવાર ઝગડો કરી માર મારી શારીરીક માનસિક ત્રાસ આપતો હોય જેના કારણે સૂનીલાબેન એ કાયમી માનસિક શારીરીક ત્રાસથી કંટાળી જઈ પોતાના ઘરે પોતાની જાતે જંતુ નાશક ઝેરી દવા પી લઈ આપઘાત કરતા આમલેથા પોલીસે પતિ સામે ગુનો દાખલ કર્યો છે.

(11:25 pm IST)