Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

અંકલેશ્વર નજીક ખ્વાજા ચોકડી પાસે જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓ પકડાયા :2,55 લાખનો મુદામાલ જપ્ત

 

અંકલેશ્વરની ખ્વાજા ચોકડી નજીક જુગાર રમતા 8 જુગારીયાઓને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કુલ રૂપિયા 2.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

   પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એલસીબીને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર જીઆઇડીસી માં ખ્વાજા ચોકડી નજીક સેલી જેની એન્જીનીયરીંગ કંપનીના કંપાઉંડમાં દરોડા પાડ્યા હતા. જ્યાં જુગાર રમતા 8 જુગારીઓ પોલીસના હાથે રંગે હાથ ઝડપાયા હતા

  પોલીસે સ્થળ પરથી મોબાઈલ અને વાહનો તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મહમદ આફતાબ શેખ નામનો આરોપી આ જુગારધામ ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એલસીબી પોલીસે આ અંગે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 

(10:55 pm IST)