Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મગફળી કોૈભાંડ મુદ્દે પરેશ ધાનાણીના ૩'દિના ઉપવાસના મંડાણ

સાબરમતી આશ્રમ સામે ઉપવાસ છાવણીઃ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની ઉપસ્‍થિતિ

રાજકોટ તા. ૧૬: કરોડો રૂપિયાના મગફળી કોૈભાંડમાં તપાસની માંગણી સાથે આજે કોંગ્રેસના યુવા અગ્રણી અને વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીની આગેવાનીમાં અમદાવાદમાં ૩ દિવસના ઉપવાસના મંડાણ કર્યા છે.

વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ ‘‘અકિલા''ને જણાવ્‍યું હતું કે તા. ૧૬,૧૭ અને ૧૮ એમ ત્રણ દિવસ સુધી ઉપવાસ આંદોલન કરીને સરકાર પાસે આ મગફળી કોૈભાંડમાં તટસ્‍થ તપાસ કરવાની માંગણી કરીશું.

અમદાવાદના સાબરમતી આશ્રમ સામે આ ઉપવાસ શરૂ કરવામાં આવ્‍યા છે. જેમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્‍યામાં જોડાયા છે.

(2:01 pm IST)