Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

અમદાવાદ સાબરમતી આશ્રમે ગાંધીજીને વંદના કરીને પરેશ ધાનાણી દ્વારા ઉપવાસ આંદોલનનો પ્રારંભ

વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીની અધ્‍યક્ષતામાં આજે અમદાવાદના સાબરમતી આશ્રમની સામે ઉપવાસ છાવણી નાખીને ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા છે. મગફળીકાંડમાં સંડોવાયેલાઓને સજા કરવાની માંગ સાથે ઉપવાસ શરૂ કરતા પહેલા પરેશભાઈ ધાનાણીએ સાબરમતી આશ્રમે મહાત્‍મા ગાંધીજીને વંદના કરી હતી જે પ્રથમ તસ્‍વીરમાં નજરે પડે છે. બીજી તસ્‍વીરમાં ઉપવાસ છાવણીમાં ઉપસ્‍થિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો નજરે પડે છે

(1:59 pm IST)