Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સુરતની હૃદયરોગથી પીડિત બાળકીને વડોદરાથી ગ્રીન કોરિડોર બનાવી અમદાવાદ સિવિલ પહોંચાડી

બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડીને જીવ બચાવી લેવાયો

સુરતમાં હૃદયરોગથી પીડિત નવજાતને ગ્રીન કોરિડોર દ્વારા હેમખેમ અમદાવાદની સિવિલમાં પહોંચાડવામાં આવ્યું હતુ.

 આ અંગેની વિગત મુજબ ગતરોજ એક મહિલાએ હોસ્પિટલમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેમાં 1 બાળક તંદુરસ્ત હતું અને બીજા બાળકને હૃદયરોગની તકલીફ હતી. બાળકને લઈને બરોડા પહોંચતા તબીયત વધારે ખરાબ થઈ હતી.જે બાદ ઇએમટી દ્વારા સિપિઆર આપવાનું અને અમ્બુબેગથી ઓક્સિજન આપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતુ. જો કે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરીને બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડીને જીવ બચાવી લેવામાં આવ્યો હતો.

(7:11 pm IST)