Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કાલે ગાંધીનગરથી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઍસજીવીપી હોસ્પીટલમાં લિકવીડ ઓકિસજન ટેન્કનું ઈ-લોકાર્પણ

રાજકોટ, તા. ૧૬ :. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આવતીકાલે તા. ૧૭ જૂનના રોજ ઍસજીવીપી હોલિસ્ટિક હોસ્પીટલ- અમદાવાદ ખાતે ૧૩ હજાર લીટર લિકવીડ ઓકિસજન ટેન્કનું ગાંધીનગરથી વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવશે.

સવારે ૧૦.૩૦ કલાકે ઍસજીવીપી કેમ્પસ - અમદાવાદ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ઍસજીવીપીના અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, ઍસજીવીપીના ઉપાધ્યક્ષ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, અતિથિ વિશેષ તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ, કેન્યાના ઉદ્યોગપતિ કાનજીભાઈ પટેલ સહિત સંતો-મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

(3:02 pm IST)