Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

રાજપીપળા દરબાર રોડ પર રહેતા વુધ્ધા પોતાના ઘરમાં પડી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળાના દરબાર રોડ પાસે રહેતા આધેડ વયના મહિલાનું ઘરમાં પડી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હોય પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે
મળતી માહિતી મુજબ રાજપીપળાના દરબાર રોડ પર આવેલી નગરપાલિકા પુસ્તકાલય પાછળ ઘરમાં એકલા જ રહેતા કનકબેન સુરેશભાઇ શાહ( ઉ.વ.૭૧ )નાઓ એ સવારે દૂધ માટે દરવાજો ન ખોલતા ફળિયાના લોકો એ થોડા સમય બાદ બૂમાબૂમ કરવા છતાં કોઈ જવાબ ન મળતા અંડર જઈ જોયું તો આ વૃધ્ધા બેભાન જેવી હાલતમાં હોવાથી સારવાર જનરલ હોસ્પીટલ રાજપીપલા બાદ વધુ સારવાર માટે વડોદરા SSG  હોસ્પીટલ લઈ જતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

(10:21 pm IST)