Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ભીલવાડા રોડ પર અગાઉ કેમ ઝઘડો કરેલો તેમ કહી માર મારી ધમકી આપતા ત્રણ સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભીલવાડા ગામના રોડ ઉપર નજીવી બાબતે માર મારી ધમકી આપનાર ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 મળતી માહિતી અનુસાર પ્રફુલભાઈ ડાહ્યાભાઈ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ (૧)અમિત ઉર્ફે જીગો શંકરભાઈ વસાવા (ર) અરૂણભાઇ રમેશભાઇ વસાવા (બંન્ને રહે.તવડી, તા.ઝઘડીયા, જી. ભરૂચ )તથા (૩)વિક્રમ ભાઇ વસાવા (રહે.પ્રતાપનગર તા.નાંદોદ જી.નર્મદા) નાઓએ પ્રફુલભાઈ તથા સાહિલ ભાઇનાઓ ભીલવાડા જવાના મેઇન રોડ ઉપર ઉભા હતા તે વખતે આ ત્રણેય  મો.સા.લઇને આવી કહેતા હતા કે અગાઉ કેમ અમારી સાથે ઝઘડો કરેલ છે તેમ કહી ગાળો બોલતો હોય જેથી ગાળો બોલવાની ના પાડતા આજે તો તને જાનથી મારી નાખીશું તેવી બુમ પાડતા ત્યાંથી નાસી જતાં આમલેથા પોલિસે ત્રણ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:13 pm IST)