Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

મહાશિવરાત્રિ પર્વે વડોદરાના સુરસાગર તળાવમાં 111 ફૂટની ભગવાન શિવની સુવર્ણજડિત પ્રતિમાનું લોકાર્પણ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાદેવની સોને મઢેલી સુંદર પ્રતિમાનું લોકાર્પણ થશે

વડોદરાવાસીઓ માટે મહાશિવરાત્રિનું પર્વ ખરા અર્થમાં મહા પર્વ બની રહેશે. મહાશિવરાત્રિના પાવન પર્વ પર વડોદરાના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી 111 ફૂટની ભગવાન શિવજીની સુવર્ણજડિત પ્રતિમાનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાદેવની સોને મઢેલી સુંદર પ્રતિમાનું લોકાર્પણ થશે

   
(7:36 pm IST)