Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

નડિયાદમાં સંતરામ સર્કલ નજીક બસની ટક્કરે યુવકનું મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા અમી

નડિયાદ : નડિયાદ સંતરામ સર્કલ નજીક એક અજાણ્યા યુવકને બસની ટક્કર વાગતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલ અજાણ્યા યુવકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. બનાવ સંદર્ભે નડિયાદ શહેર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે દાહોદ ડેપોના બસ ચાલક તરીકે ફરજ બજાવતા કરમશીભાઈ રબારી પોતાની બસ લઇ દાહોદ સોજીત્રા પેટલાદ લઈ નડીયાદ થી નીકળ્યા હતા. તેઓ સંતરામ સર્કલ પાસેથી પસાર થતા તે વખતે કોઈ અજાણ્યો રાહદારી યુવક બસની ટક્કરે આવતા પાછળના વ્હીલ સાથે અથડાયો હતો. 

જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ૧૦૮ માં નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ શહેર પોલીસ મથકે થતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

(5:09 pm IST)