Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ચાલકે નશો કરી વરઘોડામાં કાર ઘુસાડી ૨ જાનૈયાના મોત

અમદાવાદ,તા. ૧૬: મહીસાગરના બાલાસિનોરમાં વગર વિસ્તારમાં લગ્નના વરઘોડાને અકસ્માત નડ્યો હતો. નશેડી કારચાલકે કાર પૂરપાટમાં હંકારીને લગ્નના વરઘોડામાં નાચતા જાનૈયાઓ પર કાર ચલાવી હતી. કાર ચાલકે ૨૦-૨૫ જાનૈયાઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ૨૬ થી વધુ જાનૈયાને ઈજા પહોંચી છે. તો ૨ જાનૈયાના મોત નિપજયા છે. બનાવ અંગે જાણ થતા જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

બાલાસિનોર નગર વિસ્તારમાં એક પરિવારમાં લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. ત્યારે લગ્નના વરઘોડાને અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે વરઘોડામાં સ્વીફટ કારે ૨૦ થી ૨૫ લોકોને અડફેટે લીધા હતા. જેમાં તામમ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે જાનમાં અફરાતરફી છવાઈ હતી. ઇજાગ્રસ્તો ને બાલાસિનોરની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતમાં વરઘોડામાં નાચતા એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું. તો અન્ય એક જાનૈયાનું સારવાર દરમિયાન મોત થયું હતું.

(3:50 pm IST)