Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

LRD ભરતી આંદોલન હાલમાં યથાવત : કાલે નિષ્ણાંતોની સલાહ બાદ અંતિમ નિર્ણંય લેવાશે

અંદોલનકારીના પ્રતિનિધિ દિનેશ બાંભણીયાએ કહ્યું સરકારની ફોર્મ્યુલાનો અભ્યાસ કરશું

અમદાવાદ : એલઆરડીની ભરતીની પ્રકિયામાં સરકારે ભરતીમાં લ્હાણી કરી છે જેથી બિન અનામત વર્ગની છાવણીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો આ મુદ્દે બિન અનામત વર્ગના પ્રતિનિધિ દિનેશ બાંભણીયાએ સરકારની ફોર્મ્યુલાનો અભ્યાસ કરીને નિષ્ણાંતોની સલાહ લઇને આગળનો નિર્ણય લેવાની વાત કરી છે. આ સાથે આંદોલન વિષેનો નિર્ણય આવતી કાલે મીટિંગ બાદ જણાવાની વાત કરી. આ સાથે દિનેશ બાંભણીયાએ સરકાર તરફથી લેખીતમાં આવે ત્યાર પછી આગળના નિર્ણયની વાત કરી છે.

(10:18 pm IST)