Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

મગફળીકાંડ મામલે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી કાલથી 72 કલાકના કરશે ઉપવાસ

અમદાવાદ :રાજ્યમાં ગાજેલા મગફળીમાં માટી કાંડ મામલે કોંગ્રેસે ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી મગફળી કાંડ મામલે સરકારનો વિરોધ કરી ઉપવાસ કરી રહ્યા છે

 . પરેશ ધાનાણી આવતી કાલથી 72 કલાકના ઉપવાસ કરશે. ત્રણ દિવસના ઉપવાસ દરમ્યાન કોગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજરી આપશે.

  પરેશ ધાનાણી છેલ્લા ઘણાં દિવસોથી સરકારને મગફળી કાંડ મામલે ઘેરવા ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ગત્ત દિવસે મગફળી કાંડ મામલે પરેશ ધાનાણીએ કૃષિ પ્રધાન આર.સી. ફળદુ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

(2:44 pm IST)