Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ઉછીના પૈસાની બાબતે વડતાલમાં એક પર ચપ્પુથી જીવલેણ હુમલો

નડિયાદ: તાલુકાના વડતાલ સોનારીકૂઈ પાસે ગત રાત્રે કણજરીના ઈસમે ઉછીના આપેલા પૈસા કેમ આપતો નથી કહી વડતાલના ઈસમને ચપ્પુ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ વડતાલ કિશોરપુરા કાંસ પાસે રહેતો બકુલભાઈ જાદવભાઈ પરમાર ગત તા.૧૨--૧૮ની રાત્રે સોનારીકૂઈ પાસેથી જઈ રહ્યો હતો ત્યારે યુવરાજસિંહ (રહે. કણજરી, રવિ કિરણ પાસે) જણાવેલ કે મેં તને રૂપિયા ૫૦૦૦ ઉછીના આપેલ છે. જેને ઘણો સમય થયો છતાં તું પૈસા કેમ નથી આપતો કહી ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી બકુલ પરમારે ગાળો બોલવાની ના પાડતા યુવરાજસિંહ ઉશ્કેરાઈ જઈ ખિસ્સામાંથી ચપ્પુ કાઢી બકુલભાઈને કમરના ડાબા ભાગે મારી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે બકુલભાઈ જાદવભાઈ પરમારની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે યુવરાજસિંહ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

(6:26 pm IST)