Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આગામી 18-19 માર્ચે બે દિવસ ગુજરાતની મુલાકાતે

ડેરી ઉદ્યોગ સંમેલન અને બે યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ સહિત અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે:જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંક હેડક્વાર્ટરનો શિલાન્યાસ કરશે અને સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના પણ કરશે.

અમદાવાદ :કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આગામી 18-19 માર્ચે બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે.આ સમયગાળા દરમિયાન અમિતભાઈ શાહ ડેરી ઉદ્યોગ સંમેલન અને બે યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ સહિત અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. આ ઉપરાંત તેઓ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંક હેડક્વાર્ટરનો શિલાન્યાસ કરશે અને સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના પણ કરશે.

 મળતી માહિતી મુજબ ગૃહમંત્રી અમિતભાઈ શાહ 18 માર્ચે ગાંધીનગરમાં ભારતીય ડેરી ફેડરેશન દ્વારા આયોજિત 49માં ડેરી ઉદ્યોગ સંમેલનમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (DISHA)ની બેઠકમાં હાજરી આપશે અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફ્રી ફૂડ કેમ્પેઈનનો પ્રારંભ કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ બે દિવસની ગુજરાત મુલાકાત દરમ્યાન વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપતા પૂર્વે શાહ નારદીપુર તળાવના ઉદ્ઘાટન ઉપરાંત વાસણ તળાવ અને કલોલના વિવિધ વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે.

(9:23 pm IST)