Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

કેવડિયાથી 24 કી.મી. દૂર ભૂકંપના આંચકા અનુભવાયા : 3.1ની તીવ્રતા આંચકો નોંધાયો

(ભરત શાહ દ્વારા) નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સૌથી મોટું પ્રવાસન સ્થળ છે ત્યાં દરરોજ હજારો પ્રવાસી આવતા હોય માટે જો ક્યારેક કેવડીયા તરફ ભૂકંપનો આંચકો આવે ત્યારે લોકોમાં ભારે કુતૂહલ જોવા મળે છે ત્યારે આજરોજ બપોરે ૩.૪૦ વાગે કેવડીયાથી લગભગ ૨૪ કિલોમીટર દૂર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 3.1 હોવાની માહિતી મળી છે, જોકે આ ભૂકંપનાં કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધને કોઈ અસર થઈ નથી અને  જનજીવનને પણ કોઈ અસર થઈ નહિ હોવાનું તંત્ર દ્વારા જાણવા મળ્યું છે

(10:19 pm IST)