Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામપુરા ખાતે ઈટવાડાના શ્રમિકના બાળકોને શેરડી તથા પતંગનું વિતરણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ઉત્તરાયણના પાવન પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામપુરા મુકામે આવેલા ઈટવાડા ના શ્રમિક ના બાળકોને શેરડી તથા પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. હિંદુ સંસ્કૃતિ મુજબ ઉત્તરાયણના દિવસે દાનનું ખૂબ જ મહત્વ રહેલું છે.વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લાના સહમંત્રી  સતિષપ્રસાદ રતિલાલ ભટ્ટ પણ આ શુભ કાર્ય માં જોડાયા હતા. (તસવીર : ચૈતન્ય સતીશપ્રસાદ ભટ્ટ - રામપુરા

(7:33 pm IST)