Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી, વહેલી સવારે સૂર્ય નારાયણની ઉપાસના કરીને આ પવિત્ર દિવસે રાજ્યના તમામ નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. વહેલી સવારે સૂર્ય નારાયણની ઉપાસના કરીને આ પવિત્ર દિવસે મંત્રીએ રાજ્યના તમામ નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આરોગ્ય મંત્રી દ્વારા પરિવારજનો સાથે પવિત્ર પર્વની ઉજવણી સહજતાપૂર્વક કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રીએ માસ્ક પહેરી, કોરોના ગાઇડ લાઇનના પાલન સાથે પોતાના પરિવારજનો સાથે વિસનગર ખાતેના પોતાના નિવાસસ્થાને ઉમંગ અને ઉલ્લાસ સાથે પતંગ ચગાવવાની મોજ માણી હતી.

(3:48 pm IST)