Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

ભૂપેન્દ્રભાઈ પટેલે મકર સંક્રાંતિ ના અવસરે અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભક્તિ ભાવ પૂર્વક દર્શન અર્ચન કર્યા : ગૌ માતા પૂજન કર્યું :; મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ નું અભિવાદન પણ ઝીલ્યું : જરૂરતમંદ લોકોને મીઠાઈ વગેરેનું વિતરણ કર્યું

dir="auto">રાજકોટ::મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી માં આપણી સંસ્કૃતિ માં પશુઓને ઘાસ ચારો અને જરૂરત મંદ લોકોને  દાન નું મહાત્મ્ય છે.આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ  સહજતા પૂર્વક નિભાવી હતી.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે  મકર સંક્રાંતિ ના અવસરે અમદાવાદમાં  સવારે જગન્નાથ મંદિરમાં  ભક્તિ ભાવ પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા અને  ગૌ માતા પૂજન   કર્યું હતું તથા ઘાસ નિરણ કર્યું હતું.તેમણે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ નું અભિવાદન પણ ઝીલ્યું હતું.શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંદિર વિસ્તાર માં વસતા  પરિવારો અને જરૂરતમંદ લોકોને મીઠાઈ વગેરેનું વિતરણ કર્યું હતું.
(3:02 pm IST)