Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

વડોદરામાં ખંડણીખોર અજ્જુ કાણિયા સહિત ત્રણ શખ્શોનો પોલીસે કાઢ્યો વરઘોડો

ફરિયાદી વેપારી પર ફાયરિંગ કરીને ધમકી આપી હતી :કંટાળીને વેપારી માલિકીનું ઘર છોડી ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા

વડોદરામાં દાદાગીરી કરીને વેપારીઓ પાસેથી ખંડણી માંગતા અજજુ કાણિયા સહિત ત્રણ શખ્સોનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો.ખંડણીથી ત્રસ્ત વેપારીની ફરિયાદ બાદ અજ્જુ અને તેની ગેંગે ફરિયાદી પર ફાયરિંગ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી.

આ ગુન્હામાં અજજુને પોલીસે પકડી જેલ હવાલે કર્યો હતો.જેલમાં ગયા બાદ અજજુ કાણીયાએ વેપારીને ધમકી આપી હતી કે તેણે ફરીયાદ કર્યા બાદ જ અજજુએ જેલમાં જવું પડ્યું હોવાથી હોવી વેપારીએ 500 ને બદલે 1000 રૂપિયા દર મહિને આપવા મળશે અને કુલ 5 લાખ ખંડણી આપવી પડશે.

 ત્યારબાદ ગત તારીખ 7 ના રોજ અજજુ કાણીયો જામીન પર છૂટ્યો હતો તેમ છતાં ધમકીઓ શરૂ હતી અને ફરિયાદી વેપારી અને તેના પરિવારની મહિલાઓ બહાર જાય તો તેમને પણ સતાવવામાં આવતી હતી.

  ઉપરાંત આ લોકોથી કંટાળી વેપારીને પોતાની માલિકીનું ઘર છોડી ભાડે રહેવાનો વારો આવ્યો હતો. જેની વેપારીએ પોલીસ ફરિયાદ કરતા તે ગુન્હામાં પોલીસે હિસ્ટ્રીશીટર અજજુ કાણીયા સહિત તેની ગેંગ ના બે સભ્યો ની ધરપકડ કરીને આ રીતે તેનો વરઘોડો કાઢીને લોકોમાંથી તેનો ડર દૂર કર્યો હતો.

(1:26 pm IST)