Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

સુરતના પાંડેસરામાં પરિણીતાને ત્યાં સંતાનમાં પુત્ર ન થતા સાસરિયાના અત્યાચારથી કંટાળી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરના પાંડેસરામાં મહારાષ્ટ્રીયન પરિણીતાને સંતાનમાં બે પુત્રીને જન્મ આપતા પુત્રને કેમ જન્મ નથી આપતી એમ કહી શારિરીક-માનસિક ત્રાસ આપી આપઘાત કરવા મજબુર કરનાર પતિ વિરૂધ્ધ આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાય છે.

નવાગામ-ડીંડોલીની હરિનગર સોસાયટીમાં રહેતા ગુલાબ ભામરેની પુત્રી કલ્પના (.. 27)ના લગ્ન ગત તા. 23 મે 2009ના રોજ વતન મહારાષ્ટ્રના લોનખેડીના રહેવાસી આનંદ દશરથ નેરકર સાથે થયા હતા. લગ્નના એકાદ વર્ષ બાદ પાંડેસરાની આર્વીભાવ સોસાયટીમાં રહેવા આવી ગયા હતા. આનંદ પાંડેસરા જીઆઇડીસીની ભાવિન મીલમાં નોકરી કરતો હતો

(5:51 pm IST)