Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

રાજ્યમાં કોરોના હાંફ્યો :નવા 29 કેસ નોંધાયા: વધુ 43 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :મૃત્યુઆંક 11.040 થયો :કુલ 12.65,826 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 7726 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદ અને સુરત કોર્પોરેશનમાં નોંધાયા:રાજયમાં હાલમાં 361 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 43 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,65.826 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,040  થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.11 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 7726 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,75.52.936  લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 361 એક્ટિવ કેસ છે.જેમાંથી 2 દર્દી વેન્ટિલેટર પર છે,જ્યારે 359દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 29 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 8 કેસ,સુરત કોર્પોરેશનમાં 5 કેસ, રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 4-4 કેસ,કચ્છ અને રાજકોટમાં 2-2 કેસ, ગાંધીનગર,નવસારી, સુરત,અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે

(7:06 pm IST)