Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક મકાનના તાળા તોડી તસ્કરો 3.20 લાખની મતા તફડાવી છૂમંતર.....

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં ચોરી, લૂંટના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, જમાલપુરમાં મકાનના તાળા તોડીને તસ્કરો ધોળા દિવસે રૃા. ૩.૨૦ લાખની સોનાના દાગીનાની ચોરી કરીને નાસી ગયા હતા. આ બનાવ અંગે ગાયકવાડ હલેવી પોલીસે ચોરીનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  આ કેસની વિગત એવી છે કે  જમાલપુરમાં ભુંગળીની પોળમાં ફોજદાર મંજિલ ખાતે રહેતા જાહેદાબાનું ફોજદારે ગાયકવાડ હલેવી પોલીસ  સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે ગત. તા. ૧૩-૧૦ના રોજ સવારે આઠ વાગે મહિલા ઘરેથી શાકભાજી લેવા માટે ગયાહતા અને ઘરે પરત આવીને જોયું તો મકાનના પ્રથમ માળે  રૃમના તાળા તોડીને  અજાણી વ્યકિતએ ઘરમાં પ્રવેશ કરીને તિજોરી તોડી હતી અને તિજોરીમાંથી રૃા.સોનીની બંગડીઓ તથા વિંટી સહિત કુલ રૃા. ૩.૨૦ લાખની મત્તાના સોનાના દાગીનાન ચોરી કરીને તસ્કરો નાસી ગયા હતા. આ બનાવ અંગે પોલીસે ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે,  ઉલ્લેખનીય છે કે જમાલપુર જેવા લોકોના ભીડભાડ વાળા વિસ્તારમાં ધોળા દિવસે ચોરીના ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી, આ ચોરીની ઘટનામાં કોઇ જાણ ભેદુ હોવાની શંકા આધારે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

(4:58 pm IST)